રાજકોટ તા.29
પરસોતમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ ક્ષત્રિય સમાજના વિરોધનો વંટોળ શરૂ થયો છે. આ વિરોધ હવે ઉગ્ર બન્યો છે. વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે આ ઘટના ક્રમ પર કરણી સેનાના મહિલા મોરચા અધ્યક્ષ પદ્મીનીબા વાળાનો એક ઓડિયો કિલપ વાયરલ થયો છે. જેમાં તેઓ ઉગ્ર સાથે પરસોતમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરી ટિકીટ રદ કરવાની માંગણી કરી રહ્યા છે.
જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલ બેઠક પુર્વે ઓડિયો કિલપ વાયરલ થયો છે. જેમાં તેઓ જણાવે છે કે સમાધાન કરવામાં આવશે તો સમાજની મર્યાદા જોખમમાં મુકાશે. બહેનો-દિકરીઓનું માન ખરડાશે. આ આખા સમાજની પ્રતિષ્ઠાનો સવાલ છે. જતુ જ કરવાનુ હોય તો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી. હવે સમય આવી ગયો છે. આપણા સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોએ જાગવુ જોઈએ.
અંતમાં તેઓ જણાવે છે કે હવે સમાધાન એક જ છે કે રૂપાલાભાઈની ટિકીટ રદ જ કરવામાં આવે અને અન્ય કોઈને ટિકીટ આપવામાં આવે. આથી બીજુ કોઈ સમાધાન નહી થાય. પદ્મીનીબા વાળા થોડા સમય પુર્વે ભાજપમાં જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy