રાજકોટ તા.28
રાજકોટ મનપાની વેરા વસુલાત વર્ષ 2023-24નો ટાર્ગેટ પુર્ણ કરવા રીકવરી ઝુંબેશને ગતિશીલ બનાવી છે તેમાં આજે વિવિધ વોર્ડમાં 17 મિલ્કતો સીલ, 10 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ, 3 નળ કનેકશન કપાત સાથે રૂા.71.16 લાખની રીકવરી કરી છે.
વેરા શાખાની રીકવરી ઝુંબેશમાં આજે કુવાડવા રોડ પર ત્રણ યુનિટ, સંતકબીર રોડ, જાગનાથ પ્લોટ, વાવડી વિસ્તાર, પપૈયા વાડી, મવડી, 80 ફુટ રોડ પર યુનિટ સીલ કર્યા હતા. સાથે સંતકબીર રોડ, રાજારામ સોસાયટી, વોર્ડ ન.5, મનહર સોસાયટીમાં અને કોઠારીયા રોડ, મારૂતીનગરમાં મળી 3 નળ કનેકશન કપાત કર્યા હતા.
બાકી વેરાની વસુલાતમાં શોપ-યુનીટ મળી કુલ 17 મિલ્કતોને સીલ કરવાની કામગીરી સાથે 10 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ આપી હતી. બપોર સુધીમાં વધુ રૂા.71.76 લાખની રીકવરી કરી હતી.
અત્યાર સુધીમાં કુલ 3,92,700 મિલ્કત ધારકોએ 355.30 કરોડ વેરો ભરપાઈ કર્યો છે.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાજ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સ્પેકટર દ્વારા આસી.કમિશ્ર્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy