(મનીષ ઘેલાણી) ભાણવડ તા.18
ભાણવડ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની ગંભીર કટોકટી ઉભી થઈ છે. રણજીતપરા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને છેલ્લા પાંચ-છ દિવસથી પીવાનુ પાણી નહીં મળતા લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે.
ભાણવડ પાલિકામાં હાલમાં વહીવટદારનુ શાસન રહ્યુ છે ત્યારે લોકો માટે પાયાની અને અતિ જરૂરી એવી પીવાના પાણીની સવલત મળી શકતી નથી એવો લોકોમાં ગણગણાટ શરૂ થયો છે.
ગત વરસે ભાણવડ વિસ્તારમાં વરસાદ પણ સારા પ્રમાણમાં થયો હતો, શહેરીજનોને પાણી આપતા તમામ જળાશયો પાણીથી ઓવરફલો થયા હતા, આમ છતાં શહેરીજનોને દર ચોથા દિવસે પીવાના પાણીનું વિતરણ પહેલેથી જ થઈ રહ્યુ છે.
એક બાજુ પહેલેથી જ દર ચોથા દિવસે પાણી વિતરણ કરવામા આવે છે અને બીજી બાજુ અવારનવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જઈ બિલકુલ અનિયમિત બનતી જાય છે. રણજીતપરા જેવા વિકસીત એરિયામાં લોકોને છ દિવસથી પીવાનુ પાણી મળી શકયુ નથી.
આ સિવાય પાણી વિતરણ માટે સ્થાનિક તંત્રનો ચોકકસ કોઈ સમય જ હોતો નથી, ગમે ત્યારે પાણી વિતરણ કરાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy