(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.28
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના રૂપાણી વિસ્તારમાં આવેલા મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રૂા.1,75,000ની કિંમતના દાગીના તેમજ 15 હજારની રોકડ રકમ અને બેંક અને એલઆઇસીના મહત્વના દસ્તાવેજોની ચોરી કરી હતી.કલ્પનાબહેન પંડ્યાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમનું રૂપાણી વિસ્તારમાં ચંપાહાઉસ ખાતે મકાન આવેલું છે અને તે મકાન હાલ બંધ હાલતમાં છે. તેમનાથી નાનાબહેન શેલજાબહેન ક્રેસંટ વિસ્તારમાં રહે છે અને હાલ તેમનું નવુ મકાન બની રહ્યું હોવાના કારણે તેમનો કિંમતી સરસમાન ચંપાહાસના મકાનમાં મુક્યો હતો.
મકાનમાં કોઇ રહેતું ન હોવા છતાં તેની સાફસફાઇ રોજ કરવામાં આવે છે. ફરિયાદી તેમજ તેમના કામવાળા બહેન મકાનમાં ગયા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો આગળીયો તુટેલો હતો. મકાનમાં તપાસ કરતાં મકાનમાં સરસામન વેરવિખેર હતો કબાટમાં તપાસ કરવામાં આવતાં રૂા.1,60,000ની કિંમતના સોનાના બે હાર, રૂ.15,000ની કિંમતનો ચાંદીનો રથ, કારના કાગળ, બેંક અને એલઆઇસીના મહત્વના કાગળો તેમજ રૂા.15,000ની રોકડ રકમની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy