(કેશુભાઇ માવદીયા) માધવપુર (ઘેડ), તા. 29
માધવપુર(ઘેડ) ગામે રાજાશાહી સમયના કુવાનું પાણી જનતાની તરસ છીપાવી રહ્યું છે. હાલના દિવસોમાં કુવાનું પાણી દુષીત અને દુર્ગંધયુકત બનતા ગરીબ લોકોને ગ્રામ પંચાયતનાં પાપે પાણી વેંચાતુ લેવાની ફરજ પડી છે.
માધવપુર ગામે દલીતવાસ અને વાલ્મીકીવાસ વિસ્તારમાં કુવાનું દુષીત-દુર્ગંધ ફેલાવતું પાણી ઉપયોગી નહીં હોવાથી ગરીબ જનતાને નાછુટકે ખાનગી ટેન્કરોનું વેચાતુ પાણી ખરીદવું પડે છે ગામમાં ર018માં નર્મદાનાં નીરના વધામણા થયા હોવા છતાં ગામને નર્મદાના નીરનો લાભ મળતો નથી આ બાબતે અગાઉ ગ્રામસભામાં રજુઆત થઇ હતી તેમ છતાં ગ્રામ પંચાયતનાં સતાધીશોએ કોઇ કાર્યવાહી કરી નથી ગ્રામ પંચાયતના સરપંચ આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy