રાજકોટ, તા.23
વ્યાજખોરોનો ત્રાસ અને નોકરી ન મળતા યુવાને આપઘાત પ્રયાસ કર્યો હતો. પોરબંદરના મનિષ નાનથાએ રાજકોટ બસ સ્ટેશન પાસે બીમારીની વધુ પડતો દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ, મનિષ જેન્તી નાનથા(ઉ.વ.42, રહે. પેરેડાઈઝ સિનેમા, ઠકરાર હોસ્પિટલ પાછળ, પોરબંદર) આજે સવારે 11 વાગ્યે રાજકોટ બસ સ્ટેશન પાસે હતો ત્યારે બીમારીની વધુ પડતો દવા પી લીધી હતી. તેણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે, તે બારીના પડદાની દુકાનમાં કામ કરતો, જુદા જુદા વ્યક્તિ પાસેથી 80 હજાર વ્યાજે લીધા હતા. હવે વ્યાજ ચૂકવવા પૈસા ન હોય, વ્યાજખોરો ઉઘરાણી કરતા પોરબંદર મૂકી તા.8/5/2024ના રોજ ઘરેથી નીકળી ગયો હતો. અમદાવાદ, સુરત ફરી રાજકોટ આવ્યો. બધા શહેરોમાં નોકરી શોધી પણ નોકરી ન મળતા અંતે આ પગલું ભર્યું. હાલ તે સારવારમાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy