(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા.1
તાજેતરમાં ગુર્જર ક્ષત્રિય કડીયા ગુજરાત તથા ગોંડલ સમાજના પ્રમુખ સ્વ અશોકભાઈ રાઠોડનું દુખદ અવસાન થતા સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ના કડીયા સમાજ મા ખુબજ ઘેરા શોક અને દુખ ની લાગણી છવાઇ જવા પામેલ છે તેમણે ગુજરાત ઉપરાંત ગોંડલ સમાજ મા ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે સક્રિય રહી ગોંડલ ના પોશ એરિયામાં સમાજ ની ભવ્ય અને વિસાળ શ્યામ વાડી ના નિર્માણ સહિત સમાજ ના વિકાસ મા અનેરૂ યોગદાન આપ્યું હતું તેમન દુખ દ નિધન થી ગોંડલ સહિત ગુજરાત ભરના કડીયા સમાજ ને કદી ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે .
તેમને સુરત અમદાવાદ વડોદરા રાજકોટ જામનગર જુનાગઢ ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા વેરાવળ વંથલી સાપુર કલાણા સહિત નાના મોટા શહેરો અને ગામોના સમાજ ના પ્રમુખો હોદ્દેદારો આગેવાનો એ ભાવભભીની શ્રધ્ધાંજલી આપેલછે. ઉપરાંત જુનાગઢ શ્યામ વાડી ના પ્રમુખ અને ગ્રીન સીટી વાળા યુવા બિલ્ડર વિવેકભાઈ ગોહિલ ઈગલ એસ્ટેટ વાળા પ્રકાશભાઈ ચૌહાણ જુનાગઢ બોર્ડીગ ના પ્રમુખ અને પ્રદેશ ભાજપ બક્ષી મોરચા ના ઉપ પ્રમુખ જે કે ચાવડા દિનેશભાઈ કાચા મેંદરડા ના અશોકભાઈ સોલંકી કિશોરભાઈ ચોટલીયા ભાલીયા સાહેબ શૈલેશભાઈ પરમાર પી ડી કાચા પી પી ટાંક સહિતના ના હોદેદારો ટ્રસ્ટીઓ આગેવાનો વિગેરે એ પણ સ્વ અશોકભાઈ રાઠોડ ને શ્રધ્ધાંજલી આપી દુખ વ્યક્ત કર્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy