(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. 01
ઓખા મંડળના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા સુરજ ગોરડીયા નામના શખ્સ દ્વારા પોતાની ફેસબૂક આઈડી પર હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના અભદ્ર ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, તેમાં અશોભનીય શબ્દો સાથેનું લખાણ લખી, તમામ હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવી હોવાનું ખુલવા પામ્યું છે.
આ બાબતના અનુસંધાને દ્વારકા પંથકના વિવિધ હિન્દુ સંગઠનોએ મીઠાપુર પોલીસ મથકે જઈને ઉગ્ર રજૂઆતો સાથે લેખિત આવેદનપત્ર પાઠવી, આરોપીની તાકીદે અટકાયત થાય તે માટેની માંગ કરી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે આરંભડા વિસ્તારમાં રહેતા મયુરભાઈ નવનીતભાઈ ભાયાણી (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી સુરજ ગોરડીયા વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 295 (એ) તથા 153 (એ) મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના સી.પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy